Posts

Showing posts from September, 2022

મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલે આદ્યશક્તિ માં અંબાના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા

Image
રાજ્યપાલશ્રીનું અંબાજી ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ભવ્ય સ્વાગત કરાયુ ગુજરાત સહિત દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના કરતા મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલ            મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધાર્યા હતા. તેમણે જગતજનની માં અંબાની પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. હાલમાં આસો સુદ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી માતાજીના દર્શન કરવા શ્રધ્ધાળુઓ અંબાજી આવી રહ્યા છે. અંબાજી દર્શને પધારેલ મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલે ગુજરાત સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એવી માતાજીને પ્રાર્થના કરી હતી.            અંબાજી પધારેલ મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલનું અંબાજી સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. રાજ્યપાલશ્રીએ શક્તિપીઠ અંબાજી ખાતે શીશ ઝુકાવી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ અંબાજી ખાતેના નયનરમ્ય સ્થળ માંગલ્યવનની મુલાકાત લઈ વૃક્ષારો...

આદિજાતિ બાળકોની "સંજીવની" દૂધ સંજીવની યોજનાઃ અમીરગઢ તાલુકાના વિરમપુર લોકનિકેતન આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ

Image
 તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ- ૨૦૦૭ માં અમલમાં મુકવામાં આવી હતી દૂધ સંજીવની યોજના બાળકોમાં સ્વચ્છતાના ગુણો કેળવાય તે માટે દૂધના ખાલી પાઉચને ફેંકી દેવાના બદલે એકત્રિત કરી રિસાયકલિંગમાં આપી દેવાની શાળાની અનોખી પહેલ           બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુરની લોકનિકેતન આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજનાના અમલીકરણની સાથે સાથે પ્લાસ્ટિકના રિસાયકલિંગની અનોખી પહેલ થકી પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રેરણા આપવાનું પ્રેરણાદાયી કામ થઇ રહ્યું છે. ગાંધી મૂલ્યોને વરેલી લોકનિકેતન વિરમપુર આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજના હેઠળ આપવામાં આવતા દૂધના ખાલી પાઉંચને ફેંકી દેવાના બદલે વ્યવસ્થિત રીતે એકત્ર કરવામાં આવે છે અને આ ખાલી પાઉચને પ્લાસ્ટિકના રિસાયકલિંગમાં ઉપયોગમાં લેવાય એ રીતે વેચાણ કરવામાં આવે છે. બાળકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની સજાગતા સાથે સ્વચ્છતા જાળવણીના સંસ્કારો બચપણથી મળી રહે એ માટેની આ વ્યવસ્થા અન્ય શાળાઓ માટે પણ અનુકરણીય પહેલ અને પ્રેરણારૂપ બની રહી છે.         ...

ગ્રામહાર્ટ માધ્યમથી કૃષિ આધારિત ખેત પેદાશોને મળશે નવું બજાર

Image
પ્રધાનમંત્રીશ્રીના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદેશને સાર્થક કરવાનો સંનિષ્ઠ પ્રયાસઃ ગઢ અને જલોત્રા ખાતે નિર્માણ નવીન ગ્રામહાટનું લોકાર્પણ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે            વિકાસની આંધળી દોટમાં પ્રાકૃતિક ખેતી ભુલાઈ રહી છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એ માટેની યોજના જાહેર કરવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક સંપદા ધરાવતો જિલ્લો છે. જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર મળી રહે અને તેમના દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું ડાયરેક્ટ વેચાણ થાય એ હેતુસર ગ્રામહાટનું નિર્માણ કરવામાં આવ્યું છે.              માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સરાહનીય પગલાં લેવામાં આવ્યાં છે. પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોની આવક ડબલ કરવાના ઉપદેશને સાર્થક કરવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મનરેગા યોજના હેઠ...

30 તારીખે PM બનાસકાંઠામાં ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Image
વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805  આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM ભૂમિપૂજન કરશે અંબાજી ખાતે જાહેરસભામાં લોકાર્પણ અને ખાતમૂહર્ત બાદ PM ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિવિધ યોજનાઓ અંતર્ગત નાગરિકોની સુખાકારી માટે,  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેલ્લા એક વર્ષમાં વિવિધ વિકાસકાર્યોને વેગ આપવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના વડાપ્રધાન બનાસકાંઠામાં હાજર રહેશે અને અહીં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ ₹ 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના(વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ  ₹ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત  અને 53172 આવાસોનું લોકાર્પણ વ...

પાટણ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર નિમણૂક પત્રો / એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો

Image
જિલ્લાના 1802 યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો એનાયત કરાયા          રાજ્યમાં એક લાખ થી વધારે યુવાનોને રોજગારી / એપ્રેન્ટિસ પુરી પાડવાનું લક્ષયાંક નક્કી કરીને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તે અંતર્ગત જિલ્લા કક્ષાએ રોજગારી / એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ APMC હોલ, નવા ગંજ બજાર પાટણ ખાતે જિલ્લા પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો.       રોજગારી / એપ્રેન્ટિસ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને તાલીમ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં 1802 યુવાનોને આજરોજ રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો એનાયત કરાયા છે.         આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેન મકવાણાએ જણાવ્યું કે સરકાર હંમેશા યુવાનોના હિતમાં કાર્ય કરે છે તથા તેમના ભવિષ્યને યોગ્ય ગતિ આપવાનું કાર્ય કરી રહી છે. આજરોજ આયોજિત રોજગાર નિમણૂ...

ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કરતાં મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમાર

Image
અવસર છે લોકશાહીનો - ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ ૩૩ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયુ ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે, મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમાર, ચૂંટણી કમિશનરશ્રી અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી આવેલા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, રેન્જ આઈ.જી., ડી.આઈ.જી તથા જિલ્લા પોલીસ વડા પાસેથી જિલ્લાવાર ચૂંટણી પૂર્વેની તૈયારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી હતી. દરેક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા ચૂંટણીની પૂર્વ તૈયારી માટેની સુસજ્જતા વિશે જિલ્લાવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. સમીક્ષા બેઠક પહેલાં રાજકીય પક્ષોના આગેવાનોએ પણ ભારતના ચૂંટણી પંચના અધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂ...

પાલનપુર ખાતે શિક્ષણ રાજય મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર / એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રોના વિતરણ કાર્યક્રમ યોજાયો

Image
લાયકાતના આધારે રોજગાર મળે એની પહેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે: શિક્ષણ રાજય મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલા જિલ્લાના ૩૩૯૪ યુવાનોને રોજગાર નિમણૂંક અને ૩૫૩ એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો એનાયત કરાયા. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા પાલનપુર ખાતે કાનુભાઇ મહેતા હોલમાં શિક્ષણ રાજય મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર /એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ૩૩૯૪ યુવાનોને રોજગાર નિમણૂંકપત્રો અને ૩૫૩ એપ્રેન્ટીસશિપ નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.            આ પ્રસંગે મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાએ રોજગારી અને એપ્રેન્ટીસશિપ નિમણૂંક મેળવનાર યુવાઓને અભિનંદન અને કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવતા ભારત દેશ દુનિયામાં સૌથી યુવાઓનો દેશ છે અને દેશના ભાવિના ઘડવૈયા યુવાઓ છે એમ જણાવી યુવાઓને તમે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કામ કરો પરંતુ દેશહિતને ધ્યાનમાં રાખવાની અપીલ કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાન...

પોક્સોના કાયદાની જાગૃતિ માટે યુનિસેફના સહયોગથી તા. ૨૬ સપ્ટેમ્બર થી તા. ૨૦ ઓક્ટોબર દરમિયાન જિલ્લાની શાળા અને કોલેજોમાં જાગૃતિ કાર્યકમ યોજાશે

Image
નામદાર ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરીટી (જીએસએલએસએ) દ્વારા પોક્સોના કાયદાનો લોકો સુધી વધુ અને વધુ પ્રચાર અને પ્રસાર થાય અને તે અંગે જાગૃતિ આવે તે માટે યુનિસેફ અને SAUHAD ના સહયોગથી ખાસ કરીને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જેઓ આપણા સમાજ અને દેશનું આવતીકાલનું ભવિષ્ય છે અને જેઓ સારા માર્ગે જાય અને દેશ અને સમાજને લાભ થાય તેવા કામ કરે એવા આશ્રયથી તા.૨૬/૦૯/ર૦રર થી તા.૨૦/૧૦/૨૦૨૨ દરમિયાન સમગ્ર ગુજરાતની તમામ શાળા- કોલેજો સહિત બનાસકાંઠાની તમામ શાળા અને કોલેજોમાં પોક્સોના કાયદાનો પ્રચાર- પ્રસાર થાય તે માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ડીએલએસએ), પાલનપુર તેમજ જિલ્લાના તમામ તાલુકામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજાશે.             આ કાર્યક્રમમાં એન.જી.ઓ., લો-સ્ટુડન્ટ (કાયદાના વિદ્યાર્થીઓ), સામાજીક સંસ્થાઓએ જો સહકાર આપવા માંગતા હોય તો ડી.એલ.એસ.એ.ના સેક્રેટરીશ્રી, પી.પી.શાહના ટેલિફોન નંબર-૦૨૭૪ર-૨૬૧૪૯૫ ઉપર અને જિલ્લા અદાલતની કચેરીના સરનામે: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ડીએલએસએ), ભોંયતળિયે, ન્યાય સંકુલ, જિલ્લા અદાલત, જોરાવર...

પ્રધાનમંત્રીશ્રીની આગામી તા.૩૦ સપ્ટેમ્બરની મુલાકાતને અનુલક્ષી મુખ્યમંત્રીશ્રીએ અંબાજીની મુલાકાત લીધી

Image
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અંબાજી મંદિરમાં દર્શન કરી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે ગબ્બર અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યુ.        પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.જેને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અંબાજી ખાતે મંદિરમાં દર્શન કરી, કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની તૈયારીઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ સંદર્ભે ગબ્બર લાઇટ એન્ડ સાઉન્ડ શો અને હડાદ રોડ પર ચીખલા ખાતે યોજાનાર સભાસ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.          આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંગે મુખ્યમંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી.                 ...