વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ માટે પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે EVM-VVPAT નિદર્શન યોજાયું

         આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન વધારવાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે ચૂંટણી તંત્ર દ્વારા "EVM-VVPAT" નિદર્શન યોજાયું હતું. 
          EVM-VVPAT ના નિદર્શન દરમિયાન મતદાન કેવી રીતે કરવું તે અંગે ડમી બેલેટ યુનિટ દ્વારા નાગરિકોને માહિતી આપવામાં આવે છે. આ મતદાર જાગૃતિ અભિયાનમાં મતદારો પોતાનો વોટ આપીને પ્રત્યક્ષ જાણકારી મેળવી શકે છે. નાગરિકોએ કયા ઉમેવાર કે પક્ષને વોટ આપ્યોો છે એ VVPAT માં બતાવે છે કે નહીં તે અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ નિદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. 
          આ નિદર્શન પ્રસંગે ચૂંટણીના ઝોનલ ઓફિસર શ્રી હિરેનભાઇ ડી. ચૌધરી, પાલનપુર આઈ.ટી.આઈ.ના સુપરવાઇઝરશ્રી કેતનભાઇ વી. પટેલ, પોલીસ જવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

થરા કોલેજમાં એન.એસ.એસ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા: સંકલ્પ પત્ર ભરી મતદાનના શપથ લેવડાવાયા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે આવેલા એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું